India કેજરીવાલ જેલમાં પુરી-શાક, કેરી અને મીઠાઈઓ ખાય , તબિયત ખરાબ કરી જામીન ઈચ્છે છે; EDએ કોર્ટમાં કહ્યું
India અરવિંદ કેજરીવાલ સ્વાસ્થ્યના આધારે જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. EDએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં બટાકા, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે જેથી તેમનું શુગર લેવલ વધી જાય જેથી તેમને જામીન મળી શકે.
તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં પોતાની દલીલો આપતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સ્વાસ્થ્યના આધારે જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. EDએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં બટાકા, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે જેથી તેમનું શુગર લેવલ વધી જાય જેથી તેમને જામીન મળી શકે. અહીં તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે થોડા દિવસો પહેલા એક અરજી દાખલ કરી હતી અને આ અરજીમાં તેમણે કહ્યું હતું કે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સતત પોતાના ડૉક્ટરના સંપર્કમાં રહેવા માંગે છે અને આ માટે તેમણે કોર્ટમાં અપીલ કરી હતી.